રાજ્ય સરકારે લોકરક્ષક ભરતી 2021-22 માં ભરતી પ્રક્રિયા દરમિયાન થયેલ ગેરરીતિ મામલે એક્શન લીધી છે. ઉમેદવારોના હિતમાં અને ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે, 37 ઉમેદવારોને સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.
2021-22 ની પોલીસ ભરતીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા,જે હવે આવનાર 3 વર્ષ સુધી કોઇપણ સરકારી ભરતીમાં ફોર્મ નહીં ભરી શકે તે અંગેની ટ્વિટ ટ્વીટર પર હસમુખ પટેલ દ્વારા 13 ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવી છે.
આ સાથે તમાંમના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા સામે એક્શન
2021-22 ની લોકરક્ષકની ભરતીમાં નોકરી મેળવવા માટે 31 ઉમેદવારે પૈસા આપીને સેટિંગ કર્યું હતું, જે તમામ ઉમેદવારોને રાજ્ય સરકારે તમામ ભરતી માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તો આ જ ભરતીમાં 2 ઉમેદવારો પાસેથી મોબાઇલ અને સાહિત્ય તેમજ 3 ઉમેદવારોએ કોલ લેટર સાથે ચેડા કર્યા અને 1 ઉમેદવારે અન્ય ઉમેદવારની અરજી રદ્દ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે 37 ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં કરેલી ગેરરીતિ મામલે રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે. આ મામલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી છે.
આ 37 ઉમેદવારોને સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.હવે 3 વર્ષ સુધી કોઈ ભરતીમાં ફોર્મ શકે.
- 31 ઉમેદવારે પૈસા આપીને સેટિંગ કર્યું હતું.
- 2 ઉમેદવારો પાસેથી મોબાઇલ અને સાહિત્ય મળ્યું હતું.
- 1 ઉમેદવારે અન્ય ઉમેદવારની અરજી રદ્દ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
37 ઉમેદવારોના નામ , સરનામું તથા તેની સામે નોંધાયેલ પોલીસ કેસની PDF જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |